સુરત : કતારગામમાં બનેવીએ ચપ્પુના ઘા ઝીંકી કરી સાળા ની હત્યા

કતારગામમાં બહેનને ત્રાસ આપવા બાબતે બનેવી સાથે બોલાચાલી બાદ ઝઘડો થતા ઉશ્કેરાઈ ગયેલા બનેવીએ સાળા સાથે ઝઘડો કર્યા બાદ તેના પર ચપ્પુ વડે હુમલો કરી ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી દેતા શાળાનુ મોત નિપજ્યુ હતું. બનાવને લઈ પોલીસ જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી. તો આ ઘટનામાં અન્યોને પણ ઈજાઓ પહોંચી હતી.
કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામની નંદનવન સોસાયટી ખાતે રહેતા જયેશભાઈ પ્રજાપતિ બનેવી મહેશ પ્રજાપતિ સાથે ભાગીદારીમાં સાડીમાં સ્ટોન સહિતના વર્કનું કામકાજ કરતા હતા. બનેવી મહેશ પ્રજાપતિ બહેનને ત્રાસ આપતા હોવાથી એક વર્ષથી બહેન પિયરમાં રહેતી હતી. અને મંગળવારે રાત્રે પતિ મહેશ તેના માતા-પિતા અને ભાઈ સાથે પરિણીતાને મળવા ગયો હતો અને ત્યાં છુટાછેટાની વાત કરી હતી જેથી પરિણીતાના પરિવાર સાથે તેઓની બોલાચાલી થઈ હતી. જેને લઈ ઉગ્ર બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. અને ઉશ્કેરાયેલા બનેવી મહેશ એ સાળા જયેશને ગળાના ભાગે તેમજ પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલા જયેશભાઈને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ જયેશ પ્રજાપતિનું મોત નિપજ્યું હતું. તો આરોપીએ બીજા શાળા નિતેશને પણ પેટના ભાગે તલવાર વડે ઈજા પહોંચાડી હતી જ્યારે આરોપી મહેશના ભાઈ મનસુખ અને પિતા માધુભાઈ તથા માતા વીમળાબેન પણ હુમલો કરવામાં સામેલ હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકે નોંધાઈ છે. હાલ તો બનાવની જાણ થતા કતારગામ પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. તો પ્રેમિકાને પામવા માટે પત્નિને છુટાછેડા આપવાની લ્હાઈમાં બનેવીએ શાળાની હત્યા કરી નાંખતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
કતારગામ વિસ્તારમાં મોડી રાત્રે બનેવી દ્વારા કરાયેલી શાળાની હત્યા મામલે પોલીસે સ્થળે દોડી જઈ શાળા ની હત્યા કરનાર બનેવી મહેશ પ્રજાપતિ સામે મોડી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.