સુરત : દોઢ વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા હત્યારાને પોલીસે ઝડપી પાડ્યા

દોઢ વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા હત્યારાને ચોક બજાર પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
ચોક બજાર પોલીસ મથકની હદમાં દોઢ વર્ષ અગાઉ હત્યાની ઘટના બની હતી. જે હત્યાના ગુનામાં દોઢ વર્ષથી પોલીસ પકડથી નાસ્તા ફરતા હત્યારા એવા પાર્થરાજસીંહ ચૌહાણને ચોક બજાર પોલીસે બાતમીના આધઆરે ઝડપી પાડ્યો હતો. અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.