સુરત : ફ્લેટના બાથરૂમમાંથી મૂક-બધિર કપલ મૃત હાલતમાં મળી આવ્યો

નાનપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટના ફ્લેટના બાથરૂમમાંથી મૂક-બધિર કપલ મૃત હાલતમાં મળી આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
પોલીસ અને સિવિલ હોસ્પિટલેથી મળી માહિતી મુજબ સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા રાજનગરમાં મૂળ ધરમપુર વલસાડની ધ્રુતિકુમારી જયેશભાઈ ટેલર પરિવાર સાથે રહેતી હતી. પરિવારની એકની એક દીકરી, એ પણ મૂક-બધિર એક ભાઈ અને પિતા દરજી કામ કરે છે. ધ્રુતિકુમારી ઘરમાં સાડી ભરવાનું કામ કરતી હતી. અને નાનપુરા ખાતે રહેતા અર્પિત નરેશભાઈ પટેલ સાથે 15 દિવસ પહેલાં સગાઈ થઈ હતી. 5 દિવસથી ધ્રુતિકુમારી સાસરે રહેતી હતી. એપ્રિલમાં લગ્ન લેવાની વાત કરતા હતા. સગાઈ બાદ બન્ને એકબીજા સાથે વાત ન કરી શકતાં હોવાથી કલાકો સુધી ચેટિંગ કરતા હતાં. 5 દિવસથી સાસરે રહેતી ધ્રુતિકુમારી સગાઈ બાદ ખૂબ જ ખુશ હતી. બન્નેનાં રહસ્યમય મોતને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે. મંગળવારની સાંજે બનેલી ઘટના બાદ અઠવા પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી કરી મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે.