સુરત : બાલાજી નગરમાં ખાતુ ધરાવતા કારખાનેદાર પાસે લાખોની ઠગાઈ

વરાછા મારૂતી ચોક બાલાજી નગરમાં ખાતુ ધરાવતા કારખાનેદાર પાસેથી લાખોનો નોન વુવેન ફેબ્રીકનું માલ ઉધારીમાં લઈ જઈ ત્રણ ઠગો ભાગી છુટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
વરાછા પોલીસ પાસેતી મળતી માહિતી મુજબ મોટા વરાછા ખાતે આવેલ વિશ્વનાથ સોસાયટીમાં રહેતા કનુ બલરએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ વરાછા મારૂતી ચોક ખાતે બાલાજી નગરમાં ખાતુ ધરાવે છે અને તેઓ પાસેથી ત્રણ ઠગો જેમાં એક મુળ અમરેલીના લાઠીનો અને હાલ એ.કે. રોડ પર વિશાલ નગરમાં રહતો કૌશિક કાનાણી, બીજો ભાવનગરના ગારીયાધારનો અને હાલ કાપોદ્રા ચીકુવાડી ખાતે આવેલ ખોડીયારનગર સોસાયટીમાં રહેતો આશીષ ઘંટાળા અને ત્રીજો કામરેજના હંસદેવ પ્લાઝામાં રહેતા કમલેશ પટેલનાઓએ વિશ્વાસ અને ભરોસો અપાવી પોતે મોટા વેપારી છે તેમ કહી તેઓ પાસેથી 6 લાખ 74 હજારથી વધુનો નોન વુવેન ફેબ્રીકનું માલ ખરીદી તેના રૂપિયા ન આપી ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.