સુરત : યુપીવાસી પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

ઉધના મઢીની ખમણી પાસે આવેલ રામદેવ નગરમાં રહેતી યુપીવાસી પરિણીતાએ રાત્રે બિલ્ડીંગના બીજા માળેથી કુદી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેણીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી.
ઉધના મઢીની ખમણી પાસે આવેલ રમદેવ નગરમાં રહેતા યુપીવાસી સત્યમ રાજપુતના છ મહિના પહેલા જ પ્રિતિબેન સાથે લગ્ન થયા હતા. અને પ્રિતમ દરજી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે શુક્રવારે રાત્રે કામ પરથી આવ્યા બાદ સત્યમ બહાર ગયો ત્યારે તેની પત્નિએ બિલ્ડીંગના બીજા માળેથી મોતની છલાંગ લગાવી હતી. ગંભીર રીતે ઘવાયેલા પ્રિતીબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. તો પરિણીતાએ લગ્નના છ જ મહિનામાં કેમ આ પગલુ ભર્યુ તે અંગે જાણી શકાયુ નથી.