સુરત : સોમેશ્વર ટેક્ષ્ટાઈલ માર્કેટના વેપારી પાસેથી લાખોની ઠગાઈ

રીંગરોડ ખાતે આવેલ સોમેશ્વર ટેક્ષ્ટાઈલ માર્કેટના વેપારી પાસેથી લાખઓનો કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ તેના રૂપિયા ન આપી ઠગાઈ આચરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટાર રોડ ખાતે આવેલ આશિર્વાદ પેલેસમાં રહેતા વિપીન પરમારએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ રીંગરોડ ખાતે આવેલ સોમેશ્વર ટેક્ષ્ટાઈલ માર્કેટમાં દુકાન ધરાવે છે અને તેઓ પાસેથી રીંગરોડ ખાતે આવેલ સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટના અભિષેક ધાસીરામ બમ જૈન, મીલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટના કૃણાલ સુખલાલ બોલીયા જૈન, ન્યુ ટી.ટી. ટેક્ષ્ટાઈલ માર્કેટના ચેતન રોશનલાલ માદ્રેચા જૈન અને વિક્રમ રોશનલાલ માદ્રેચા જૈનનાઓએ વિશ્વાસ અને ભરોસો આપી 41 લાખ 89 હજારથી વધુનો કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ તેના રૂપિયા ન આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.