દ્વારકા : જે.પી દેવળીયા ગામે ખેડૂતે દવા પી લેતા હોસ્પિટલમાં ખસેડાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે પી દેવળીયા ગામે ખેડૂતે દવા પીધી છે આ સમગ્ર મામલે હાલ ખેડૂતને હોસ્પિટલમાં ખસેડાયો છે
દિવસ પહેલા 14 જેટલા ગામોના ખેડૂતોએ જિલ્લા કલેકટર આવેદનપત્ર આપ્યા બાદ પણ કોઈ નિર્ણય આવેલ ન હોઈ જેટકો કંપની દ્વારા કાલાવડ થી ભોગાત સુધી 400 કેવી લાઇન મુદ્દે ખેડૂતો સરકારની વિવિધ નિતીયોનો વિરોધ કરી રહ્યા છે
આવેદનપત્ર આપ્યા બાદ પણ જેટકો નું કામ ચાલુ હોવાના લીધે ખેડૂતપુત્ર એ તેના જ ખેતરમાં દવા પી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી
પોલીસ , જેટકો અને અન્ય કર્મીઓની હાજરીમાં જ યુવાન ખેડૂતે આત્મહત્યા કરવાની કોશિશ કરતા તંત્ર પર ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો
દવા પી લેનાર ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ખેડૂતે પોતાના આપઘાતની જવાબદારી પણ કંપનીના અધિકારીઓ પણ ઠાલવી હતી આઝાદ ભારતમાં આવી રીતે ખાનગી માલિકીની જમીનોમાં દાદાગીરી થી કામ બળજબરી પૂર્વક કરાતા ખેડૂતોમાં ભારે રોષ છે