Junagadh : માણાવદર એપીએમસી ખાતે મગફળી ખરીદીનો પ્રારંભ

માણાવદર એપીએમસી ખાતે મગફળી ખરીદી નો પ્રારંભ.
સમગ્ર ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર શુભારંભ કરવામાં આવ્યો છે તેને અનુલક્ષીને માણાવદરમાં પણ એપીએમસી ખાતે મગફળી કેન્દ્રનો પ્રારંભ થયો હતો માણાવદર તાલુકામાં કુલ 9642 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે પ્રથમ દિવસે 15 ખેડૂતોને એસએમએસ કરીને ખરીદી માટે બોલાવ્યા હતા પરંતુ માત્ર બે જ ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા હતા જેથી આવતીકાલે 45 ખેડૂતોને એસએમએસથી જાણ કરવામાં આવશે એમ એક યાદીમાં જણાવ્યું હતું