Surat : શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના કાર્યાલયની શરૂઆત

શ્રી રામ મંદિર જન્મભુમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ સુરત મહાનગર દ્વારા અઠવાલાઈન્સ ખાતે કાર્યાલયની શરૂઆત કરાઈ છે. જ્યાંથી રામભક્તો સહિત હિન્દુ સમાજને સહભાગી થઈ ભવ્ય રામ મંદિરના નિર્માણમાં નિધિ સમર્પણ કરી શકશે. જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી.
શ્રી રામ જન્મભુમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ સુરત મહાનગર દ્વારા શ્રી રામજન્મભુમિ પર ભવ્ય મંદિર નિર્માણ માટે સંપુર્ણ હિન્દુ સમાજ ને સહભાગી અને સહયોગી થવા અંગે વિરાટ દેશવ્યાપી અભિયાન શરૂ કરાયું છે. સુરતમાં મુખ્ય કાર્યાલય રીંગરોડ ખાતે શરૂ કર્યા બાદ વિવિધ વિસ્તારોમાં નિધિ સંમર્પણ કાર્યાલય શરૂ કરાઈ રહ્યા છે. જે અંતર્ગત અઠવાલાઈન્સ ખાતે આવેલ પ્લેટિનમ પ્લાઝામાં અભિયાન સમિતિ કાર્યાલયનું બુધવારના રોજ ઉદ્ઘાટન કરાયુ હતું.
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે રામભક્તો સહિત સમગ્ર હિન્દુ સમાજને સહભાગી થવા પણ જણાવાયુ છે.