કાંકરેજ : ડો.બાબા સાહેબની જન્મ જયંતી મહોત્સવની ઉજવણી

સમગ્ર ભારત દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાતમાં 20 જેટલા જિલ્લામાં રાત્રિ દરમિયાન8 થી 6 નું લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરી સોશીયલ ડિસ્ટન્સ જાળવી અને ડોકટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ને શિહોરી ન્યાય સમિતી ચેરમેન ખાતે તેમજ થરા બુકોલિયાયા વાસ રામદેવ પીર બાબા ના મંદિરે તેમજ ઠેર ઠેર બાબા સાહેબ આંબેડકર ના ભીમ નારા સાથે કાંકરેજ તાલુકાના ધારા સભ્ય શ્રી કિર્તિસિહ વાઘેલા દ્વારા ફૂલ હર કરી જ્યોત જલાવી ને ડોકટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાંકરેજ તાલુકાના સામાજિક કાર્યકરો દ્વારા આજ રોજ આ કોરોના વાઇરસ ની મહામારી સામે રક્ષણ મેળવવા માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં થરા માં આવેલ શ્રી જે વી શાહ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરેલ દર્દીઓ માટે ફ્રૂટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકાના સામાજિક કાર્યકરો તેમજ આગેવાનો વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા.