કચ્છ : જેસલ-તોરલની સમાધિ ખાતે વિકાસકામો અંગે ખાતમુહૂર્ત

કચ્છનાં અંજાર શહેરમાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ જેસલ તોરલની સમાધિ ખાતે રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો કરવામાં આવનાર છે.કરોડો રૂપિયાના ખર્ચે થતા ફેઝ 2 ના વિકાસકામો અંગે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.કચ્છનાં સાંસદ વિનોદ ચાવડા અને અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહીર તેમજ પ્રાંત અધિકારી વિમલ જોશીની હાજરીમાં જેસલ તોરલ સમાધિ ખાતે આ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અહીં ધંધાર્થીઓ માટે દુકાનો તેમજ પ્રવાસીઓ માટે પાર્કિગ પ્લોટ સહિત હરવા ફરવાની સવલતો વિકસાવવામાં આવશે અંજાર શહેરને પર્યટન સ્થળ બનાવવા માટે તાજેતરમાં જ સવાસર તળાવનું 4 કરોડના ખર્ચે રીનોવેશન કરાયું હતું જે બાદ હવે જેસલ તોરલ સમાધિનું પણ રીનોવેશન કરી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે શહેર ભાજપ દ્વારા સરકારની સારી કામગીરીનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.