ચોટીલા : ખેડૂતોએ વિજકચેરી સહિત પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું

ચોટીલા ના ઠાંગા તરીકે ઓળખાતો વિસ્તારમાં પીપળીયા ઢોરા ગામના ખેડૂતોએ ખેતીવાડી વિસ્તારમાં વિજપાવર રાત્રીના સમયે આપવામાં આવે છે તે વિજપાવર દિવસના સમયે આપવામાં આવે તેવી માંગ સાથે વિજકચેરી સહિત પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.
ચોટીલા પીપળીયા ઢોરા સહિત અનેક ગામોમાં વિજપાવર રાત્રીના સમયે આવતો હોવાથી ખેડૂતો ને મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે અને વાડી વિસ્તારમાં વન્યપ્રાણીઓ નો વસવાટ છે જેને લઈને ખેતીવિસ્તારમાં ખેડૂતો ને આગોતરા વાવેતર માં મોલ ને પાણી પાવા જવા માટે મુસીબત નો સામનો કરવો પડતો હોય છે તો આ વીજ પાવર દિવસના સમયે આપવામાં આવે તેવી માંગ સાથે વિજકચેરી સહિત પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.