જામજોધપુર : સ્વામિનારાયણ મંદિરે પંચ વાર્ષિક પાટોત્સવનું આયોજન કરાયું

જામજોધપુર સ્વામિનારાયણ મંદિરે પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના રૂડા આર્શીવાદ થી અ.નિ.સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભગવતચરણદાસજી ના દિવ્ય આશીર્વાદ થી મહામુક્તરાજ શ્રી દેવુભગતજી (જય સિયારામ) રાણાકંડોરણા વાળા ની સ્મૂતિમાં તથા સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂ. જીજ્ઞેશદાદા(રાધે-રાધે) તેમજ શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણદાસજી તેમજ કોઠારી સ્વામી શ્રી જગતપ્રસાદ દાસજીની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિરે પંચ વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પાટોત્સવ,આરતી , ઘનશ્યામ મહારાજ નું પૂજન , અભિષેક ,કીર્તન, સંતોના આર્શીવાદ , અન્નકૂટ દર્શન તથા આરતી ,બ્રહ્મ ચોરાસી તથા શાકોત્સવ પ્રસાદ વગેરે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધામેધામ થી સંતો-મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ રાજકોટ, મોરઝર, પાનેલી વગેરે સત્સંગ સમાજના હરિભક્તો આ પાટોત્સવ માં જોડાયા હતા.