સુરત : અનોપ મંડલ દ્વારા જૈન ધર્મ વિરૂદ્ધ કાઈ રહેલા દુષ્પ્રચારના વિરોધ

અનોપ મંડલ દ્વારા જૈન ધર્મ વિરૂદ્ધ કાઈ રહેલા દુષ્પ્રચારના વિરોધમાં સુરત કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી.
જૈન ધર્મ દ્વારા સુરત કલેકટરને અપાયેલા આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે જૈન ધર્મના અનુયાયીઓ જૈન ધર્મના અમુલ્ય સિદ્ધાંત અહિંસા પરમોધર્મ પર વિશ્વાસ રાખે છે જો કે હાલમાં અનોપ મંડલ દ્વારા જૈન ધર્મ વિરૂદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યું છે. અનોપ મંડલના રાષ્ટ્રિય અધ્યક્ષ અમૃતલાલ પ્રજાપતિ દ્વારા હાલમાં વિવિધ ન્યુઝ ચેનલોમાં જઈ જૈન ધર્મ અને જૈન સમાજના લોકોની આસ્થા વિરૂદ્ધ દુષપ્રચાર કર્યો છે. અમૃતલાલ પ્રજાપતિ અને અમરસિંહ દ્વારા રાજસ્થાનના પાલી જીલ્લામાં પણ અનોપ મંડલ જગત હિતિકા નામે જૈન ધર્મ વિરોધી વિડીયો બનાવી યુ ટ્યુબ જૈન ધર્મ વિરૂદ્ધ દુષપ્રચાર કરાઈ રહ્યું છે જેથી તેઓ સામે તાત્કાલિક પગલા લેવા માંગ કરાઈ હતી.
હાલ તો જૈન ધર્મના વિરોધમાં દુષ્પ્રચાર કરનાર અનોપ મંડલ વિરૂદ્ધ તાત્કાલિક પગલા લેવા માંગ કરાઈ છે.