સુરત : એએસઆઈના યુવાનપુત્રનું રહસ્યમય સંજોગોમાં મોત

પિપલોદ ખાતે આવેલ પોલીસ લાઈનમાં રહેતા એએસઆઈના યુવાનપુત્રનું રહસ્યમય સંજોગોમાં ઘરના બાથરૂમમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પિપલોદ ખાતે આવેલ પોલીસ લાઈનમાં રેહતા અને અઠવા પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ચંદુ ચૌધરીનો 25 વર્ષિય પુત્ર પાર્થ મોડી રાત્રે ઘરના બાથરૂમમાં ગયો હતો અને ઘણા સમય સુધી બહાર ન આવતા પિતા સહિત પરિવારના સભ્યોને ખબર પડતા બાથરૂમ તરફ ગયા હતા અને દરવાજો ખખડાવવા લાગ્યા હતા. ત્યારે અંદરથી કોઈ જવાબ ન આવતા પિતાએ દરવાજો તોડતા અંદર પાર્થ રહસ્યમય સંજોગોમાં બેભાન મળ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તો પીએમ કરનાર તીબબોએ જણાવ્યુ હતું કે મૃતકના શરીરમાં ઝેરી દવા જેવા અંશો હોવાની શક્યતા છે. જેથી તેના લીધેલ વિવિધ સેમ્પલના રિપોર્ટ આ્યા બાદ મોતનં સાચુ કારણ જાણી શકાશે. હાલ તો ઉમરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.