સુરત : ભાઈના મોત મામલે તેના મિત્ર પર શંકા રાખી સંબંધીના ઘરમાં તોડફોડ

ભાઈના મોત મામલે તેના મિત્ર પર શંકા રાખી તેના ઘરે જઈ ધમકાવ્યા બાદ સંબંધીના ઘરમાં તોડફોડ કરનાર ત્રણ માથાભારે ભાઈઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. તો તોડફોડના સીસીટીવી સામે આવ્યા છે.
ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાન આવાસ ખાતે રહેતી સાયરાબાનુ પઠાણએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓના ઘરે હાલ તેમની દિકરાના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભેસ્તાન આવાસમાં જ રહેતા સઈદ ઉર્ફે ઓગણીસ બસીર શાહ તેનો ભાઈ અસલમ કાલીયા અને અસ્પાક ચાચુ તમામએ ભેસ્તાન આવાસમાં આવી અગાઉ તેઓના ભાઈ અશરફ બસીર શાહ ભેસ્તાન રેલ્વે ચપટરી પાસે કપાઈ ગયો હોય અને તેની સાથે તે સમયે તેનો મિત્ર સોહેબલાલ હોય અને તેથી જ સોહેબલાલાએ જ તેઓના ભાઈને પટરી પર ફેંકી દીધો હોવાની શંકા રાખી સોહેબલાલાના ઘરમાં જઈ ત્રણેયએ નુકશાન કર્યા બાદ સોહેબલાલ કે જે સાયરાબાનુના ભાણેજનો સાળો થતો હોય જેથી તેઓના ઘરે પણ જઈ આરોપીઓએ તેમની દિકરીના લગ્ન માટે લવાયેલ સામાનમાં તોડફોડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હાલ તો બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. તો બીજી તરફ તોડફોડના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે.