Bardoli : સુરત જીલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખની તાજપોશી

સુરત જીલ્લા ભાજપ ના નવ નિયુક્ત પ્રમુખ ની પ્રદેશ અધ્યક્ષ ના હસ્તે કરવામાં આવી તાજપોશી ,નવસારી તેમજ ભરૂચ જીલ્લા પ્રમુખ તેમજ સુરત જીલ્લા ના મંત્રીઓ અને ધારાસભ્યો રહ્યા હાજર ,સ્થાનિક સ્વરાજ ની ચુંટણી ના ૧૦૦ ટકા પરિણામ મેળવવા પર પ્રદેશ અધ્યક્ષ એ મુક્યું જોર ,તો બીજી તરફ સોસીયલ ડિસ્ટસિંગ ના ધજાગરા ઉડતા પણ દેખાયા
હાલ માં થોડા સમય પહેલાજ રાજ્ય ના કેટલાક જીલ્લા ઓ માં ભાજપા દ્વારા નવા પ્રમુખો ની નિયુક્તિ કરવામાં આવી હતી જે પેકી સુરત જીલ્લા ને પણ નવા ભાજપ પ્રમુખ મળ્યા છે ,આજરોજ લાભ પંચમ ના દિવસે પ્રદેશ અધ્યક્ષ ના હસ્તે નવા નીમાયેલા પ્રમુખ સંદીપ દેસાઈ ની તાજપોશી કરવામાં આવી હતી અને સંદીપ દેસાઈ એ આજથી વિધિવત જીલ્લા પ્રમુખ નો કાર્યભાર સંભાળ્યો હતો ,કાર્યક્રમ માં સુરત જીલ્લા સિવાય સુરત શહેર ,નવસારી ના અને ભરૂચ ના નવા નીમાયેલા પ્રમુખો પણ હાજર રહ્યા હતા ,તેમજ બે મંત્રી ઓ ગણપત વસાવા તેમજ ઈશ્વર પરમાર અને પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર તેમજ સુરત જીલ્લા ના તમામ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા ,કાર્યક્રમ માં કાર્યકરો ને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ એ ટુક સમય માં આવી રહેલી સ્થાનિક સ્વરાજ ની ચુંટણી બાબતે કાર્યકરો ને મેહનત કરવા ભાર મુક્યો હતો ,કાર્યક્રમ માં ભારે ભીડ ને લઇ સામાજિક અંતર જળવાયું નહતું