Navsari : કોરોના વોરીયર્સ નર્સની આત્મહત્યા મામલે ફરિયાદ નોંધાઈ

નવસારી સિવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતી કોરોના વોરીયર્સ 27 વર્ષીય નર્સે કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે તા.22 ઓક્ટોબર ના રોજ મધરાત્રીનાં 12 થી ૩ વાગ્યા નાં સમયગાળા દરમ્યાન ગળે ફાસો ખાઈ જીવન ટુકાવ્યું હતું.આ બાબતે મૃતક ની માતાએ પોતાની દીકરીને ત્રાસ આપતા સિવિલ સર્જન,બે હેડ નર્સ તેણીનાં પતિ અને સાસુ ઉપર વિરુધ આપઘાતની દુષ્પ્રેરણા અને જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી
નવસારી સિવિલ હોસ્પિટલમાં મેઘાબેન અંકિત ખંભાતી (ઉવ.27 રહે.મુન લાઈટ એપાર્ટમેન્ટ ,જલારામ સોસાયટી વિજલપોર ) નર્સ તરીકે 4 વર્ષથી ફરજ બજાવતી હતી.તેણીને શારીરિક તકલીફ હોય તે બાબતે તબીબને બતાવવા માટે રજા માંગતી હતી .પણ ઉપરી નર્સ દ્વારા રજા અને જાતીય સતામણી કરી રહ્યા હોય તા.22 ઓક્ટોબરનાં રાત્રીના 12 વાગ્યાથી ૩ વાગ્યા નાં સમયગાળા દરમ્યાન પોતાના બેડરૂમમાં ઓઢણી વડે ગળે ફાસો ખાઈ લીધો હતો.પોલીસે તપાસ કરતા તેણીએ લખેલ 5 પાનાની સુસાઈડ નોટ પણ કબજે કરી હતી. આ માનસિક ત્રાસ આપનારનાં નામ લખ્યા છે તેના વિરુધ્ધ કાર્યવાહી કરવા માં આવે તેવી માંગ પરિવાર જનો દ્વારા કરવા માં આવી રહી છે.