Surat : નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિની ઉજવણી

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જ્યંતિ નિમિત્તે સુરત મહાનગર પાલિકા દ્વારા પુષ્પાંજલી સાથે સહ વંદના કાર્યક્રમ યોજાયો હતો.
દર વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જ્યંતીની સુરત મહાનગર પાલિકા દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાતી હતી. જો કે આ વર્ષે કોરોનાની મહામારી ચાલી રહી હોય જેથી સાદાઈથી દરેક ઉજવણી કરાઈ રહી છે. ત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જ્યંતિ નિમિત્તે સુરત મહાનગર પાલિકા દ્વારા ગોપીપુરા સુભાષ ચોક ખાતે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલી સહ વંદનાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં માસ્ક સાથે શોસિયલ ડિસ્ટન્સીંગનું પાલન પણ કરાયુ હતું. નેતાજી સુભાષચંદ્રને શ્રધ્ધાંજલિ આપવા ભાજપના શહેર પ્રમુખ અને માજી શહેર પ્રમુખ તથા માજી કોર્પોરેટરો પણ જોડાયા હતાં.
આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી ભારત દેશની આઝાદી અપાવવામાં મહત્વની ભુમિકા અદા કરનાર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મ જ્યંતિએ શ્રધ્ધાંજલિ અપાઈ હતી.