વાઘોડિયા : શંકરપુરાથી બે ઈસમો ગાંજા સાથે ઝડપાયા

શંકરપુરા સિમમા મહાકાળી મંદિરની બાજુની ઓરડીમાંથી વડોદરા SOG એ નશાકારક વનસ્પતી જન્ય ગાંજા સાથે બે ઈસમને જડપી પાડ્યા છે.
વાઘોડિયાના જરોદ પાસે આવેલ શંકરપુરાથી વડોદરા SOG એ ગાંજો જડપી પાડ્યો છે.જરોદ નજીક આવેલ શંકરપુરા થી ખાખરીયા તરફજતા સિમમા મહાકાળીનુવમંદિર આવેલુ છે.મંદિરની બાજુની ઓરડીમા ભવનાથ જુનાગઢનો સાઘુ ઘણા સમયથી અહિ રહે છે. પપ્પુ સંતબકતસીંગ રાજપુત ઊત્તર પ્રદેશના ઊર્ફે પવનગીરી ગુરૂ મહંત લક્ષ્મણગીરી મંદિરની બાજુની ઓરડીમાં ગાજા સાથે જડપાયો છે 750 ગ્રામ ગાંજો તથા મોબાઈલ તથા વજનકાંટો મડી કુલ 19200 /- ના મુદ્દામાલ સાથે મડી આવ્યો હતો.જયારે સામેની ઓરડીમાંથી SOGએ શંકરપુરાનો મહેશ ઊર્ફે સંજય કાળીદાસ મહિડા 2 કિલો 732 ગ્રામ ગાંજા સાથે જડપાયો છે. જેની કિમત 32020 થાય છે. બંન્નેઆરોપીની ઘરપકડ કરી જેલના સડીયા પાછળ ધકેલી દેવાયા છે.