વિસાવદર : બીપીન રામાણી દ્વારા ગાયો માટે ઘાસચારો આપવામાં આવ્યો

વિસાવદર તાલુકાના વેકરિયા ગામની ગૌશાળામાં બીપીન રામાણી દ્વારા ગાયો માટે ઘાસચારો આપવામાં આવ્યો
આવતા વાવાઝોડાએ સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગીર વિસ્તારમાં ભારે તારાજી સર્જી હોય ત્યારે વિસાવદર તાલુકાના વેકરિયા ગામે વાવાઝોડાના કારણે ગૌશાળામાં પતરા ઉડી ગયા હોય જેના કારણે ગાયો માટે રાખવામાં આવેલ ઘાસચારો પડી ગયું હોય જેની જાણ વિસાવદર ના વતની અને હાલ સુરત ઉદ્યોગપતિ એવા બીપીનભાઈ રામાણીને થતાં આજરોજ વિસાવદર ખાતેથી વેકરિયા ગામની ગૌશાળામાં ઘાસચારો મોકલવામાં આવ્યો હતો