સુરત : કતારગામ વિસ્તારમાં માસુમ ધૈર્યરાજસિંહ માટે લોકોએ દાન કર્યુ

જટીલ બિમારીથી પિડાઈ રહેલા માસુમ બાળક ધૈર્યરાજસિંહ ની જીંદગીમાં સહારૂપ બનવાના આશય સાથે કતારગામ ખાતે આવેલ પાર્વતિનગરમાં સિંહણ સરકાર ગ્રુપ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકોએ દિલ ખોલી દાન કર્યુ હતું.
કતારગામ લલીતા ચોકડી પાસે આવેલ કાંતારેશ્વર મહાદેવ મંદિર નજીક પારવતી નગર માં સિંહણ સરકાર ગ્રુપ દ્વારા જટીલ બિમારીથી પિડાઈ રહેલા માસુમ બાળક ધૈર્યરાજસિંહની કરોડોનું સારવારનો ખર્ચ હોય જેમાં સહાર થવા સમગ્ર રાજ્યમાંથી લોકો આગળ આવી રહ્યા છે ત્યારે સુરતમાં પણ સિંહણ સરકાર ગ્રુપ દ્વારા લોકોને સહાય કરવા માટે જોડાવવા અપિલ કરાઈ હતી. અને કતારગામ વિસ્તારમાં જ માસુમ માટે મોટી સંખ્યામાં લોકોએ દાન કર્યુ હતું.
જટીલ બિમારીથી પિડાતા માસુમ ધૈર્યરાજસિંહની સારવાર માટે સમગ્ર રાજ્યમાં હાલ વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા અભિયાન ચલાવાઈ રહ્યુ છે.