સુરત : ધારાસભ્ય પુર્ણેશ મોદી દ્વારા શરૂ કરાયેલ આઈસોલેશન સેન્ટરનું પ્રારંભ

પાલ હજીરા રોડ પર આવેલ રાધાસ્વામી સત્સંગ બ્યાસ ખાતે ધારાસભ્ય પુર્ણેશ મોદી દ્વારા શરૂ કરાયેલ આઈસોલેશન સેન્ટરનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે પ્રારંભ કરાવાયુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આહવાન અને ભાજપ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આ. પાટીલના માર્ગદર્શન હેઠળ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુર્ણેશ મોદીના સહયોગથી હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે પાલ હજીરા રોડ પર આવેલ રાધાસ્વામી સત્સંગ બ્યાસ ખાતે 100 બેડના સદભાવના કોરોના આઈસોલેશન સેન્ટરનો પ્રારંભ મંગળવારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કરાયુ હતું. આ આઈસોલેશન સેન્ટરમાં તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉભી કરાઈ છે.
સુરતમાં કોરોનાના વકરતા સંક્રમણ વચ્ચે હોસ્પિટલોમાં બેડ ખુટી પડી રહ્યા હોય ત્યારે આઈસોલેશન સેન્ટરો શરૂ કરી સુરતીઓએ ખરેખર માનવતાના દર્શન કરાવ્યા છે. જેમાં પ્રજાના પ્રતિનિધિઓએ પણ આગળ આવી આઈસોલેશન સેન્ટરો શરૂ કર્યા છે.