સુરત : મિત્રતામાં 20 લાખ રૂપિયા ઉછીના આપી વેપારી ઠગાઈ ગયો

ન્યુ સીટીલાઈટ રોડ પર રહેતા વેપારીએ તેમના મિત્રને બાળકોને વિદેશ ભણવા માટે 20 લાખ ઉછીના આપ્યા હતા તે રૂપિયાની માંગણી કરતા વાયદાઓ કર્યા બાદ મિત્ર મકાન ખાલી કરી ભાગી છુટ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવા પામી છે.
ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ન્યુ સીટીલાઈટ રોડ ચાઈનાગેટ ટુમાં આવેલ સ્વસ્તીક બંગ્લોઝમાં રહેતા ભરત સાપોલીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓના અમદાવાદ વસ્ત્રાલ રોડ પર આવેલ સુમીન નગરમાં રહેતા મિત્ર દિનેશ ઉર્ફે બબલુ રાજપુતને તેના મિત્રને ભણવા માટે વિદેશ મોકલવાનો હોય જેથી મિત્રતામાં 20 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. જે રૂપિયાની માંગણી કરતા મિત્રએ વાયદાઓ કર્યા બાદ અચાનક જ અમદાવાદનો મકાન ખાલી કરી પરિવાર સાથે ભાગી છુટ્યો હતો. હાલ તો ખટોદરા પોલીસ મથકે વેપારી ભરત સાપોલીયાએ તેમના મિત્ર દીનેશ ઉર્ફે બબલુ રાજપુત તેના પુત્રો અંકિત અને આશી, વિરૂદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ખટોદરા પોલીસે હાથ ધરી છે.